આપણા બધાના મનમાં ઘણી ઇચ્છાઓ દબાયેલી હોય છે. તેમાંથી કેટલીક પૂર્ણ થાય છે તો કેટલીક અધૂરી રહે છે. આવી સ્થિતિમાં તમે તમારી અપૂર્ણ ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે ગણેશજીના ચરણોમાં જઈ શકો છો. ગણેશજીને આપણે ભાગ્યવિધાતા પણ કહીએ છીએ. તેમની પાસે કોઈપણ વ્યક્તિનું નસીબ બદલવાની શક્તિ છે. ઇચ્છા પૂર્ણ થવા માટે નસીબ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. તેથી જો તમારી કોઈ ઈચ્છા અધુરી છે અને તે પૂર્ણ કરવા ઈચ્છો છો તો ગણેશજી તમારી મદદ કરી શકે છે. આ માટે તમારે માત્ર 3 વિશેષ કામ કરવા પડશે. તે કામ નીચે મુજબ છે.
શુદ્ધ ઘીના મોતીચૂરના લાડૂ: ગણપતિ બાપ્પાને લાડુ ખાવા ખૂબ પસંદ છે. આ તેમની પ્રિય વાનગીઓમાંથી એક છે. જો તમારા મનમાં કોઈ ઇચ્છા છે, તો તમે ગણેશ મંદિરે જાઓ અને ત્યાં ઈચ્છા પૂર્ણ થવા માટે માનતા લો. તમારે એ માનતા લેવી પડશે કે ઈચ્છા પૂર્ણ થવા પર તમે આટલા કિલો લાડૂ ચળાવશો. આ વાતનું ધ્યાન રાખો કે લાડૂ ભલે ઓછા હોય પરંતુ શુદ્ધ ઘીના હોવા જોઈએ. જ્યારે તમારી ઇચ્છા પૂર્ણ થાય છે, ત્યારે જેટલું જલ્દી બને તમે તમારી માનતા ઉતારવાનું ન ભૂલો. જો તમે લાડુ ચળાવવાનું ભૂલી જાઓ છો, તો તમારું બનેલું કામ પણ બગડી શકે છે. તેથી સમજીવિચારીને જ માનતા લો.
કેળાના પાનની વિશેષ પૂજા: બુધવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી કેળાનું એક પાન લો અને તેના પર ગણેશની મૂર્તિ રાખો. સાથે જ ગણેશની જમણી બાજુ ઘઉંનો ઢગલો કરો, જ્યારે ડાબી બાજુ સોપારી રાખો. ત્યાર પછી ગણેશજીની આરતી કરો અને આ મંત્રના 21 વાર જાપ કરો – “ૐ વક્રતુંડ મહાકાયા સૂર્ય કોટિ સમપ્રભ. નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા॥” ત્યાર પછી તમારી ઈચ્છા ગણેશજીને જણાવો. હવે તેની સામે માથું નમાવો. ત્યાર પછી ગણેશજી પાસે રહેલા ઘઉં અન્ય ઘઉં સાથે મિક્સ કરી દો અને તેની રોટલી બનાવી લો. આ રોટલી ત્યારે ખાઓ જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઇ રહ્યા હોય. તેમજ તે દરમિયાન પૂજામાં વપરાયેલી સોપારી ખિસ્સામાં રાખો.
વિશેષ દાન: ગણેશજીને ધર્મ દાન કરતા લોકો પણ ખૂબ પસંદ છે. જો તમે તમારી ઈચ્ચા માંગો છો અને તેના બદલે કોઈ મોટું દાન કરો છો તો તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થાય છે. આ માટે તમે પૈસા, અન્ન અથવા કંઈપણ ચીજનું દાન કરી શકો છો. આ દાન ગરીબ વ્યક્તિ, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કરી શકાય છે. જો તમે ઇચ્છો તો તમે મંદિર અથવા કોઈ પણ સંસ્થાને દાન પણ આપી શકો છો. પ્રાણીઓની મદદ પણ માટે દાન કરી શકાય છે. જ્યારે પણ તમે કોઈ દાન કરો ત્યારે ગણેશજી પાસે તમારી ઈચ્છા માંગી લો. થોડા સમય પછી તે પૂર્ણ થશે. જો તમે અન્યનું ભલું કરો છો, તો તમારું પણ સારું થશે.