બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પાવરફુલ કપલ માનવામાં આવે છે. આ બંને અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. નોંધપાત્ર છે કે બંને એક પુત્રીના માતા-પિતા પણ બની ચુક્યા છે અને તેમની પુત્રીનું નામ ‘વામિકા’ છે.
જ્યારથી વામિકાનો જન્મ થયો છે ત્યારથી વિરાટ અને અનુષ્કાએ હંમેશા પુત્રીની તસવીરો લેવા સામે વિરોધ કર્યો છે. સાથે જ જ્યારે સોશિયલ મીડિયા પર તેમની પુત્રીની કેટલીક તસવીરો લીક થઈ હતી, ત્યારે તેમણે એક પોસ્ટ શેર કરીને પુત્રીની તસવીર ન લેવાની વિનંતી કરી હતી. હવે આ દરમિયાન એ વાત સામે આવી છે કે છેવટે શા માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાની નાની પરીનો ચહેરો કોઈને બતાવવા ઈચ્છતા નથી. તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે?
11 જાન્યુઆરી, 2021ના રોજ માતા-પિતા બન્યા હતા વિરાટ અને અનુષ્કા: જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે 11 જાન્યુઆરી, વર્ષ 2021ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રીનો જન્મ થયો હતો. વામિકા 1 વર્ષથી વધુ ઉંમરની થઈ ગઈ છે પરંતુ હજુ સુધી વિરાટ અને અનુષ્કા તેમની પુત્રીને લાઈમલાઈટથી દૂર રાખે છે અને ન તો તેની કોઈ પણ પ્રકારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
જો શેર પણ કરે છે તો આ તસવીરમાં નાની વામિકાનો ચેહરો બતાવવામાં આવતો નથી. આવી સ્થિતિમાં ઘણી વખત વિરાટ અને અનુષ્કાને પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે છેવટે તેઓ તેમની પુત્રીનો ચહેરો શા માટે બતાવવા ઈચ્છતા નથી? તેના પર ન તો વિરાટ કોહલીએ કોઈ રિએક્શન આપ્યું અને ન તો ક્યારેય અનુષ્કા શર્માએ કોઈ રિએક્શન આપ્યું. પરંતુ તાજેતરમાં જ આ મુદ્દા પર વાતચીત કરવામાં જેમાં ખુલાસો થયો કે શા માટે અનુષ્કા-વિરાટ પુત્રીનો ચેહરો બતાવવા ઈચ્છતા નથી.
ખરેખર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું કહેવું છે કે તેઓ પોતાની પુત્રીનો ચેહરો મીડિયાને ત્યાં સુધી નથી બતાવવા ઈચ્છતા જ્યાં સુધી તેમની પુત્રી આ બધી બાબતોને સમજવા લાયક નથી બનતી. આ જ કારણ છે કે વિરાટ પણ હંમેશા એ અપીલ કરે છે કે વામિકાની તસવીર ક્લિક ન કરો અને ન તો તેને સોશિયલ મીડિયા પર શેર કરો.
વિરાટ કોહલીનું કહેવું છે કે જ્યારે વામિકા મોટી થઈ જશે ત્યારે તે પોતાની રીતે સમજાવા લાગશે કે મીડિયા શું છે? સ્ટાર શું છે? અને સ્ટારડમ કેવી રીતે સંભાળવામાં આવે છે? મોટા થયા પછી, વામિકા પોતે નક્કી કરશે કે મીડિયા સામે કેટલું ખુલીને રહેવું અને કેવા પ્રકારની વાતો કરવી.
અનુષ્કા અને વિરાટે મીડિયાને કરી હતી આ અપીલ: આ જ કારણ છે કે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે સીરીઝ દરમિયાન વામિકાની તસવીરો લેવામાં આવી હતી ત્યારે અનુષ્કા શર્માએ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “અમારી પુત્રીની તસવીર ગઈકાલે સ્ટેડિયમમાં ક્લિક કરવામાં આવી હતી અને તેને સતત શેર કરવામાં આવી રહી છે. અમે બધાને જણાવવા ઈચ્છીએ છીએ કે જ્યારે આ તસવીરો ક્લિક કરવામાં આવી ત્યારે અમને ખબર ન હતી કે કેમેરાની નજર અમારા પર છે. જો વામિકાની તસવીર ક્લિક કરવામાં નહિં અવે અને તેને ક્યાંય છાપવામાં નહિં આવે, તો અમે તેની પ્રશંસા કરીશું. તેની પાછળનું કારણ પહેલાથી જ જણાવવામાં આવ્યું છે, આભાર.”