ગણેશજીને દૂર્વા શા માટે ચળાવવામાં આવે છે? ખૂબ જ રસપ્રદ છે તેની પાછળની કથા, એક દુષ્ટ રાક્ષસ સાથે છે સંબંધ, અહીં વાંચો આ રસપ્રદ કથા

ધાર્મિક

ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર છે. જે આગામી 10 દિવસ સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં ભક્તો અત્યારથી ભગવાન ગણેશને પ્રસન્ન કરવામાં લાગી ગયા છે. જ્યારે પણ ગણેશજીની પૂજા કરવામાં આવે છે ત્યારે લોકો તેમને વિવિધ ચીજો ચળાવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં એક ચીજ હોય છે દૂર્વા અથવા દૂબ.

તમે પણ ગણેશજીની પૂજામાં દુર્વાનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુર્વા ભગવાન ગણેશને શા માટે ચળાવવામાં આવે છે? ખરેખર તેની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે. આજે અમે તમને તે કથા જણાવવા જઈ રહ્યા છીએ.

આ કારણથી ગણેશજીને ચળે છે દૂર્વા: પ્રાચીન સમયની વાત છે એક વખત અનલાસુર નામનો એક દુષ્ટ રાક્ષસ હતો. તેણે ચારેબાજુ ભયનો માહોલ સર્જી દીધો હતો. તે હંમેશા ભૂખ્યો રહેતો હતો. મનુષ્ય, ઋષિમુનિઓથી લઈને રાક્ષસો સુધી દરેકને જીવતા ગળી જતો હતો. દેવતાઓ પણ તેનાથી પરેશાન હતા. પછી એક દિવસ બધા મદદ માટે ભગવાન ગણેશ પાસે ગયા.

ભક્તોની પુકાર સાંભળીને ગણેશજીએ તેમની મદદ કરી. તે દેવતાઓના કહેવા પર રાક્ષસ અનલાસુરનો વધ કરવા તૈયાર થયા. જ્યારે ગણેશજીનો અનલાસુર સામે સામનો થયો, ત્યારે તેણે ગણપતિ બાપ્પાને પણ ગળી જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આપણા પિતાની તાકાત સામે કોણ ટકી શકે? તેમણે રાક્ષસને પોતાની સૂંઢ વડે પકડ્યો અને જીવિત તેની જ સ્ટાઈલમાં ગળી ગયા.

હવે ગણેશજી રાક્ષસને ગળી તો ગયા પરંતુ આમ કરવાથી તેમના પેટમાં બળતરા થવા લાગી. આ બળતરાને શાંત કરવા માટે, ઋષિ કશ્યપે બાપ્પાને 21 દુર્વા એકત્રિત કરીને આપી. તેન ખાતા જ ગણેશજીના પેટની બળતરા તરત જ ઓછી થઈ ગઈ. ત્યારથી બાપ્પાને દુર્વા પસંદ આવવા લાગી. અને ભક્તો ગણપતિને પ્રસન્ન કરવા માટે તેને તેની પૂજામાં ચળાવવા લાગ્યા.

દુર્વા ચળાવવાના લાભ: ગણેશજીને દુર્વા અર્પણ કરવાના ઘણા ફાયદા છે. ખાસ કરીને ગણેશ ચતુર્થી પર ગણેશજીને દૂર્વા ચળાવવામાં આવે તો બાપ્પા પ્રસન્ન થઈને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. દુર્વા ચળાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જીવનના દુ:ખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગણેશજીને દુર્વા અર્પણ કર્યા પછી જો તમે ઘરની તિજોરીમાં દુર્વા રાખો છો તો ઘરમાં હંમેશા બરકત જળવાઈ રહે છે. પૈસાની કોઈ કમી નથી રહેતી. ગરીબી ઉલટા પગે ચાલે છે.

જ્યારે પણ કોઈ નોકરીના ઈન્ટરવ્યુ માટે જાય તો સૌથી પહેલા મંદિરમાં ગણેશજીને દુર્વા ચળાવો. ત્યાર પછી ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ તમને નોકરી મળી જશે. તેવી જ રીતે દુકાન અથવા ઓફિસમાં ગણેશજીની મૂર્તિને દુર્વા ચળાવવાથી ધંધામાં લાભ થાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો, તો તે પહેલા ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી તમારું કામ સરળતાથી થઈ જશે.