વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પહોંચ્યા ઉજ્જૈનમાં મહાકાલના શરણમાં, જુવો તેમની આ તસવીરો

રમત-જગત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા ઈન્દોર ટેસ્ટ પૂર્ણ થયા પછી ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા છે. બંનેએ ભસ્મઆરતીમાં ભાગ લીધો હતો અને ગર્ભગૃહમાં પૂજા પણ કરી હતી.

દેશભરમાંથી ભગવાન મહાકાલના શરણમાં વીઆઈપી ભક્તોની લાઈન લાગી રહી છે. આ ક્રમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે વહેલી સવારે મહાકાલ મંદિરની ભસ્મ આરતીમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

આ દરમિયાન બંનેએ લગભગ દોઢ કલાક સુધી મંદિરના નંદી હોલમાં બેસીને ભસ્મ આરતીમાં ભગવાનના આશીર્વાદ લીધા. આરતી પૂર્ણ થયા પછી બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત પૂજન અભિષેક કર્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા શનિવારે સવારે મહાકાલ મંદિર પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ભગવાન મહાકાલની સવારે 4 વાગ્યે થતી ભસ્મ આરતીમાં ભાગ લઈને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા.

દર્શન કર્યા પછી વિરાટે મીડિયાને જય મહાકાલ કહ્યું, તો અનુષ્કાએ કહ્યું કે મહાકાલ મંદિરમાં આવીને ભગવાન મહાકાલના આશીર્વાદ લઈને ખૂબ જ આનંદ થયો.

હંમેશા લાઇમલાઇટમાં રહેતા વિરાટ અને અનુષ્કા ભક્તિ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં આનંદ માણતા જોવા મળ્યા હતા, વિરાટે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી, સાથે જ માથા પર ચંદનનું મોટું ત્રિપુણ લગાવીને ધોતી સાલા પહેરીને ભગવાન મહાકાલનું ધ્યાન લગાવીને બેઠેલા જોવા મળ્યા.

સાથે જ અનુષ્કા શર્મા પણ સાડીમાં જોવા મળી હતી. આ દરમિયાન તે પણ ભગવાન મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી.

આ પહેલા નવા વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાબા નીમ કરૌલીના આશ્રમ પહોંચ્યા હતા. તેઓ બે દિવસ વૃંદાવનમાં જ રોકાયા હતા. ત્યાર પછી તેઓ આનંદમઈ આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંતો સાથે મુલાકાત કરી હતી.

વિરાટ કોહલીએ ઇન્દોર ટેસ્ટની પહેલી ઇનિંગમાં 22 રન અને બીજી ઇનિંગમાં 13 રન બનાવ્યા હતા. આ પહેલા દિલ્હી અને નાગપુર ટેસ્ટમાં પણ તેમની આવી જ હાલત રહી હતી. આવી સ્થિતિમાં પોતાના નારાજ બેટને મનાવવા અને ખોવાયેલું ફોર્મ પાછું મેળવવા માટે વિરાટ કોહલી ફરી એકવાર ભગવાનના દ્વારે પહોંચી ગયા છે.