જે પીપળના છાયામાં એક વ્યક્તિ બાળપણમાં રમ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તેની છાયામાં બેઠો અને જ્યારે તેણે ઘર બનાવવા વિશે વિચાર્યું ત્યારે તેને તે જ પીપળનું ઝાડ નજર આવ્યું. ત્યાર પછી તે પરિવારે પીપળના ઝાડની વચ્ચે પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું અને એક ભવ્ય ઘર બનાવીને બતાવ્યું.
જબલપુરમાં બન્યું ટ્રી હાઉસ: આ ટ્રી-હાઉસનું નિર્માણ એમપીના જબલપુરના કેશરવાણી પરિવારે પૂર્ણ કરી બતાવ્યું છે. આ પરિવારે 125 વર્ષ જૂનું પીપળાનું ઝાડ કાપ્યા વગર પોતાનું ઘર બનાવ્યું છે. આ અનોખી ત્રણ માળની ઈમારતમાં સૌથી નીચે ઝાડના મૂળ અને ઉપર તેની ડાળીઓ દેખાય છે. પરિવારનું કહેવું છે કે વૃક્ષને બચાવવા માટે તેમણે આવું ઘર બનાવ્યું છે.
125 વર્ષ જૂના ઝાડને કાપ્યા વગર બનાવ્યું ઘર: જબલપુરની નજીક આવેલા પનગર વિસ્તારમાં આવું એક અનોખું ઘર બનેલું છે. આ ઘરને ટ્રી હાઉસ કહેવું ખોટું નહીં હોય. આવું એટલા માટે કારણ કે 125 વર્ષ જૂના પીપળના ઝાડને કાપ્યા વગર ઘરના માલિકે તેમાં ઘર બનાવ્યું છે.
આ ત્રણ માળની ઈમારતમાં સૌથી નીચેના માળે પીપળાનું મૂળ છે, પછી ઉપર ઝાડની ડાળીઓ છે. વિશાળ વૃક્ષ બચાવવાના વિચાર સાથે બનેલું આ ઘર દરેકને પર્યાવરણ સંરક્ષણ વિશે શીખ આપી રહ્યું છે.
ઘરના સભ્યની જેમ રહે છે વૃક્ષ: કેશરવાણી પરિવારના ઘરમાં 125 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ પણ તેમની સાથે જીવંત સભ્યની જેમ રહે છે. ઘરના તમામ સભ્યો આ પ્રાચીન વૃક્ષનું ધ્યાન રાખે છે, સાથે જ આ વૃક્ષ પરિવારના સભ્યોને 24 કલાક ઓક્સિજન આપે છે. આ ઝાડની ડાળીઓ ઘરની બારીઓમાંથી બહાર આવે છે.
27 વર્ષ પહેલા નાખવામાં આવ્યો ઘરનો પાયો: આ ઘરનો પાયો 27 વર્ષ પહેલા નાખવામાં આવ્યો હતો. આ ઘર ને સ્વ. ડૉ.મોતીલાલ કેશરવાણીએ બનાવ્યું હતું. તેમના પુત્રના કહેવા મુજબ, મોતીલાલ કેશરવાણી આ ઝાડની છાયામાં મોટા થયા હતા અને જ્યારે ઘર બનાવવાનો સમય આવ્યો ત્યારે આ વૃક્ષ ને પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પીપળાનું ઝાડ વચ્ચે હોવાથી ઘર બાંધવામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી, પરંતુ છતાં પણ કેશરવાણીએ પીપળાનું ઝાડ કાપવાની મનાઈ કરી હતી. જો કે, પરિવારના સભ્યોએ પછી ઝાડને કાપ્યા વગર ઘર બનાવવાનું નક્કી કર્યું, જેને પૂર્ણ કરવા માટે તેમણે એન્જિનિયરને બોલાવ્યા અને ત્યાર પછી ઘર બનીને તૈયાર થઈ ગયું.
ખાસ વાત એ છે કે પીપળના ઝાડની આસપાસ બનેલું આ ઘર સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે. કેશરવાણી પરિવારનું આ ઘર આખા શહેરમાં પ્રખ્યાત છે. આ ઘરની નીચે એક મંદિર પણ છે, જ્યાં દૂર-દૂરથી લોકો પૂજા કરવા આવે છે.
ઘર બનાવવા માટે ઝાડના કોઈપણ ભાગને નુકસાન થયું નથી. આ જ કારણ છે કે ડાઇનિંગ રૂમથી લઈને અન્ય રૂમ સુધી ઝાડનો કોઈને કોઈ ભાગ તમને જોવા મળશે.
પર્યાવરણીય સંરક્ષણની સાથે આધ્યાત્મિક મહત્વ: પર્યાવરણ સંરક્ષણની સાથે પીપળાના વૃક્ષનું આધ્યાત્મિક મહત્વ પણ છે. માન્યતાઓ મુજબ પીપળાના ઝાડમાં 33 કરોડ દેવી-દેવતાઓનો પણ વાસ હોય છે. આ જ કારણ છે કે પરિવારના સભ્યો દરરોજ આ વૃક્ષની પૂજા પણ કરે છે. વૈજ્ઞાનિક રીતે પણ પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે દિવસ અને રાત બંને સમયે ઓક્સિજન આપે છે. ઘરના લોકોનું કહેવું છે કે અમારા આ ઘરથી અમે લોકોને એક સંદેશ આપવા ઈચ્છીએ છીએ કે કોઈપણ વસ્તુનો નાશ કરવો સરળ છે, પરંતુ બનાવવું મુશ્કેલ છે.