શાસ્ત્રો મુજબ આ 7 સંસ્કારી કામ કરવાથી ચમકે છે નસીબ, મળે છે પૈસા જ પૈસા

ધાર્મિક

આપણા શાસ્ત્રોમાં એવા સાત કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને દરેક વ્યક્તિએ દરરોજ કરવા જોઈએ. જે લોકો આ સાત કામ કરે છે, તેમનું જીવન હંમેશા સુખથી ભરેલું રહે છે અને તે એક સારું જીવન પસાર કરે છે. તેથી જો તમે આ સાત કામોને નથી કરતા તો આજથી જ તેને તમારી દિનચર્યામાં શામેલ કરી લો.

સૂર્યોદય પહેલા ઊઠવું: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં માત્ર તે જ લોકો સફળ થાય છે કે જે દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠે છે. તેથી, જો તમે સૂર્યોદય પહેલા નથી ઉઠતાં તો આ ટેવ છોડી દો અને દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠો.

દરરોજ સ્નાન કરવું: દરેક વ્યક્તિએ રોજ સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો સ્નાન સૂર્યોદય પહેલા કરી લેવું જોઈએ. સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી જો તમે દરરોજ સ્નાન નથી કરતા અથવા મોડા સ્નાન કરો છો, તો આમ કરવાનું બંધ કરી દો અને સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવાની ટેવ પાડો.

દરરોજ પૂજા કરવી: શાસ્ત્રોમાં પૂજાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ રોજ પૂજા જરૂર કરવી જોઈએ. દરરોજ બે વાર ભગવાનનું નામ લેવાથી ભગવાન બધા દુ:ખ દૂર કરે છે અને વ્યક્તિની આત્મા શુદ્ધ અનુભવ કરે છે. આટલું જ નહીં જે લોકો રોજ પૂજા કરે છે, તે લોકો ભગવાન સાથે જોડાયેલા રહે છે. તેથી જો તમે ભગવાનની પૂજા નથી કરતા તો ટેવ બદલી લો અને દરરોજ ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દો.

સમય પર ભોજન કરો: આપણા શરીર માટે ભોજન ખૂબ જ જરૂરી હોય છે અને ભોજન વગર આપણું શરીર લાંબા સમય સુધી નથી ટકી શકતું. દિવસમાં ત્રણવાર ભોજન જરૂર કરવું જોઈએ અને હંમેશા ભોજન યોગ્ય સમયે જ કરવું જોઈએ. સવારનું ભોજન નવ વાગ્યા સુધી કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બપોરનું ભોજન 2 વાગ્યે કરવું યોગ્ય માનવામાં આવે છે અને રાત્રિભોજન 7 વાગ્યે કરી લેવું જોઈએ. જો તમે સમય પર ભોજન નથી કરતાં તો એવું હવેથી ન કરો.

મહેમાન સેવા: મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને મહેમાનની સેવા કરવાથી પુણ્ય મળે છે. જો તમારા ઘરમાં ક્યારેય પણ મહેમાનો આવે છે, તો તમે તેની સેવા સારા મનથી કરો અને તેમને યોગ્ય રીતે ભોજન કરાવો.

દાન કરવું: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળી જાઈ છે. તેથી દરેક વ્યક્તિએ સમય સમય પર ચીજોનું દાન જરૂર કરવું જોઈએ. ગરીબ લોકોને દાન કરવું અને તેમને ભોજન કરાવવું પુણ્યનું કાર્ય હોય છે.

વડીલોનું સન્માન કરવું: વડીલોને હંમેશા માન આપવું જોઈએ અને તેમની સાથે હંમેશા મધુર અવાજમાં વાત કરવી જોઈએ. જે લોકો વડીલોનું સન્માન નથી કરતાં અને અપમાન કરે છે, તે લોકો પાપના ભાગીદાર બને છે. તેથી તમે ભૂલથી પણ તમારાથી મોટા વડીલોનું અપમાન ન કરો અને જેટલી બની શકે એટલી તેમની સેવા કરો.