જ્યોતિરાદિત્ય સિંધિયાની ઓળખ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે હતી. પછી તે ભારતીય જનતા પાર્ટીના નેતા બન્યા. જ્યારે હવે તે કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે. તાજેતરમાં જ મોદી સરકાર સાથે તે જોડાયેલા છે. સિંધિયા ભારતીય રાજકારણનું રસપ્રદ પાત્ર માનવામાં આવે છે. તે સિંધિયા રાજપરિવારના પરિવારના વારસદાર છે અને દેશના સૌથી અમીર સાંસદના લિસ્ટમાં પણ શામેલ છે.
જણાવી દઈએ કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના દિવંગત રાજનેતા અને ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાના પુત્ર છે. સિંધિયા લોકોની વચ્ચે ‘મહારાજ’ના નામથી પણ લોકપ્રિય છે. સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971ના રોજ મુંબઈમાં થયો હતો.
50 વર્ષના થઈ ચુકેલા સિંધિયાએ પોતાની સંપત્તિ 400 કરોડ રૂપિયાથી વધુ ઘોષિત કરી હતી. આવી સ્થિતિમાં ચાલો આજે તમને સિંધિયા પાસે રહેલી તે 5 ચીજો વિશે જણાવીએ, જેની કિંમતનો અંદાજ લગાવવો પણ સામાન્ય માણસના બસની વાત નથી. સિંધિયાની આ 5 ચીજો ખૂબ જ ખાસ અને કિંમતી છે.
વારસામાં મળ્યો ‘જયવિલાસ મહેલ’: સિંધિયાના આ મહેલને જોયા પછી તેની અમીરીનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. સિંધિયાને આ મહેલ વારસામાં મળ્યો છે.
દર્શકો આ મહેલની ભવ્યતા અને સુંદરતા જોતા જ રહી જાય છે અને તેની કિંમતનો અંદાજ લગાવવો પણ ખૂબ મુશ્કેલ છે. આ મહેલનું નામ ‘જયવિલાસ મહેલ’ છે અને તે ગ્વાલિયરમાં બનેલો છે.
60 ના દાયકાની બીએમડબ્લૂ ઈસેટ્ટા, કિંમત કરોડોમાં: સિંધિયા પાસે 60 ના દાયકાની BMW Isetta પણ છે. 1960 મોડલની આ થ્રી વ્હીલર કાર છે. જણાવી દઈએ કે આ વિન્ટેજ કારની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. આ Isetta ઇટાલિયન ડિઝાઇન સાથે માઇક્રોકાર છે. સિંધિયાને આ કાર પણ વારસામાં મળી છે.
‘સમુદ્ર મહેલ’માં બે લક્ઝરી ફ્લેટ: જોકે સિંધિયા પાસે ખૂબ જ કિંમતી ‘જયવિલાસ’ મહેલ છે, જોકે તેમણે મુંબઈમાં બે ખૂબ જ કિંમતી ફ્લેટ પણ ખરીદ્યા છે. તેમની પાસે મુંબઈની ખૂબ જ પોશ સોસાયટી સમુદ્ર મહેલમાં ફ્લેટ છે. આ ઈમારત દરિયાની નજીક બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે આ સોસાયટી એક પ્રખ્યાત સોસાયટી છે.
ચાંદીની ટ્રેન પીરસે છે ભોજન: હવે કલ્પના કરો કે જો ચાંદીની બનેલી ટ્રેન તમને ભોજન પીરસે તો તમને કેવું લાગશે. જ્યોતિરાદિત્ય સિંધિયાને આ ખુશી પણ મળી છે. સિંધિયાનો મહેલ જેટલો બહારથી ભવ્ય અને સુંદર દેખાય છે તેટલો જ અંદરથી પણ ખૂબ જ સુંદર છે અને તેમાં રહેલા ડાઈનિંગ હોલની તો વાત જ શું છે. આ પ્રકારના ડાઇનિંગ હોલની કલ્પના કરવી એ દરેકના બસની વાત નથી.
આ 40 સીટ વાળું લક્ઝુરિયસ ડાઇનિંગ ટેબલ છે. સૌથી ખાસ વાત એ છે કે ટેબલ પર એક નાની રેલ્વે લાઈન છે અને તેના પર એક ચાંદીની ટ્રેન દ્વારા ભોજન પીરસવામાં આવે છે.
જયવિલાસ મહેલમાં લાગેલું 3500 કિલોનું ઝુમ્મર: 3500 કિલો નું ઝુમ્મર. સિંધિયાના મહેલમાં સાડા ત્રણ હજાર કિલો ચાંદીથી બનેલું લક્ઝુરિયસ ઝુમ્મર છે. તેને લગાવતા પહેલા, હાથીઓ દ્વારા છતની મજબૂતાઈનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ ઝુમ્મર પણ સિંધિયાના મહેલની અંદરની સુંદરતામાં વધારો કરે છે.