બોલિવૂડના કોરિડોરમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મ મેકર અને ડિરેક્ટર સાવન કુમાર ટાક હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમનું 25 ઓગસ્ટ, ગુરુવારે સાંજે 4.15 કલાકે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને હૃદયની તકલીફ હતી.
નથી રહ્યા ડિરેક્ટર સાવન કુમાર ટાક: બુધવારે 24 ઓગસ્ટના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આવી સ્થિતિમાં પરિવારે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ અહીં ચેપ તેના ફેફસામાં ફેલાઈ ગયો. સાવન કુમારના ભત્રીજાએ મીડિયાને જણાવ્યું હતું કે તેમનું હૃદય પણ ફેલ થઈ ગયું હતું. તેમનું હૃદય ઈન્ફેક્શનને કારણે કામ કરતું બંધ થઈ ગયું હતું. જણાવી દઈએ કે સાવન કુમાર 86 વર્ષના હતા. તેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. તેના પરિવારમાં 3 બહેનો અને એક ભાઈ છે.
આ ફિલ્મોનું કર્યું નિર્દેશન: સાવન કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીમાં 19 થી વધુ ફિલ્મોને ડાયરેક્ટ કરી. તેમાં સલમાન ખાન સાથે સનમ બેવફા, સાવન – ધ લવ સીઝન પણ શામેલ છે. આ ઉપરાંત તેમણે ચાંદ કા ટુકડા, સૌતન, સાજન બિના સુહાગન જેવી ફિલ્મો પણ તેમણે ડાયરેક્ટ કરી.
તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1972માં ફિલ્મ ‘ગોમતી કે કિનેરે’ ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે કરી હતી. તેઓ એક લિરિસિસ્ટ પણ હતા. તેમણે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના પ્રખ્યાત ગીત પ્યાર કી કશ્તી મેં, જાનેમન જાનેમન અને ચાંદ સિતારે વગેરે ગીતો લખ્યા હતા.
સલમાન ખાને વ્યક્ત કર્યો શોક: સાવન કુમારના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. દરેક વ્યક્તિ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડના દબંગ ખાન સલમાને પણ સાવન કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તે તેમની સાથે સનમ બેવફા સહિત કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
સલમાને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોતાની અને સાવન કુમારની એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ તસ્વીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે “મારા પ્રિય સાવન જી ભગવાન તમારી આત્માને શાંતિ આપે. તમે હંમેશા મારા દિલમાં છો. હું તમારો ખૂબ આદર કરું છું.”
આ ઉપરાંત હોસ્ટ અને ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ પણ સાવન કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યું- એ જાણીને દુઃખ થયું કે દિગ્ગઝ લેખક, નિર્માતા, નિર્દેશક અને લિરિસિસ્ટ સાવન કુમાર ટક હવે નથી રહ્યા. થોડા સમય પહેલા તેમણે અંતિમ શ્વાસ લીધા. મારા પિતા અને તેઓ સારા મિત્રો હતા.