હિન્દુ ધર્મમાં ચોખાને સૌથી પવિત્ર અનાજ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે પૂજા, યજ્ઞ વગેરે વિધિઓમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખાનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી પૂજા નિષ્ફળ હોય છે. તે જ સમયે કોઈપણ શુભ કાર્ય કરતી વખતે, કપાળ પર રોલીની સાથે ચોખાનુ તિલક પણ લગાવવામાં આવે છે. આ કરવાથી કાર્ય સફળ થાય છે. આજે અમે તમને ચોકા સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા પૈસાથી સંબંધિત સમસ્યા દૂર થઈ જશે.
ભોલેનાથને કરો અર્પણ: માત્ર થોડા ચોખાની મદદથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચોખાને શિવલિંગ પર ચળાવવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. દર સોમવારે શિવલિંગની પૂજા કરતી વખતે લગભગ અડધો કિલો ચોખાની ઢગલી કરો. ત્યાર પછી શિવલિંગની વિધિવત પૂજા કરો. પૂજા પૂર્ણ થયા પછી ચોખાની ઢગલીમાંથી મુઠ્ઠીભર ચોખા લઈને શિવલિંગને અર્પણ કરો. ત્યાર પછી વધેલા ચોખાને મંદિરમાં દાન કરો. આ ઉપાય ઓછામાં ઓછા પાંચ સોમવાર સુધી કરો. આ ઉપાય કરવાથી પૈસા સાથે સંબંધિત સમસ્યા દૂર થઈ જશે અને ભગવાન શિવની દરેક ઈચ્છા પૂર્ણ થશે.
માતા લક્ષ્મીને ચળાવો: ચોખામાં હળદર મિક્સ કરો, ત્યાર પછી લાલ કપડામાં 21 અખંડિત દાણા રાખી દો. કાપડને બાંધી લો. હવે માતા લક્ષ્મીની વિધિપૂર્વક ચોકી બનાવો. તેના પર માતાની મૂર્તિ મૂકો અને આ લાલ કાપડ પણ ત્યાં રાખો. ત્યાર પછી નિયમપૂર્વક પૂજા કરો. પૂજા કર્યા પછી આ લાલ કાપડને તમારા પર્સમાં રાખો અથવા તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી પૈસાની બાબતમાં આવતી અડચણો દૂર થશે અને ધન લાભ મળશે.
તિલક કરો: તમે જ્યારે પણ પૈસા સાથે જોડયેલા કોઈપણ કામ માટે ઘરની બહાર જાઓ છો ત્યારે કપાળ ઉપર ચોખાનું તિલક લગાવો. આ તિલક લગાવવાથી કાર્યમાં સફળતા મળશે અને ધન લાભ મળશે. તિલક ઉપરાંત તમે ઇચ્છો તો ચોખાના દાણા પણ ખિસ્સામાં રાખી શકો છો.
દુશ્મનથી બચો: આ ઉપાય કરવાથી તમે દુશ્મનથી સુરક્ષિત રહેશો. આ ઉપાય હેઠળ તમે અડદની દઆળના 38 દાણા અને ચોખાના 40 દાણા લો. તેમને સારી રીતે મિક્સ કરી લો. પછી એક જગ્યા પર તેને દબાવિ દો. ત્યાર પછી લીંબૂ નિચવી દો. આ ઉપાય કરતાની સાથે જ દુશ્મનથી છુટકારો મળશે.
હવન કરો: ગરીબી દૂર કરવા માટે હવન કરતી વખતે તેમાં ચોખાનો ઉપયોગ જરૂર કરો. આ કરવાથી, ગરીબી દૂર થાય છે. આ ઉપાય હેઠળ તમે ચોખાને તલ અને દૂધ સાથે મિક્સ કરો અને માતાનો હવન કરો.
સારા વર માટે: શુક્લ પક્ષની ચોથના દિવસે આ ઉપાય કરો. તમે ચાંદીના નાના બાઉલમાં ગાયનું દૂધ લો અને તેમાં ખાંડ અને બાફેલા ચોખા મિક્સ કરો. ત્યાર પછી તેમાં તુલસીનો પાન નાખો. હવે ચંદ્રદય સમયે ચંદ્રમાને આ અર્પણ કરો. આ ઉપાય 45 દિવસ સુધી કરો. 45 દિવસ પૂર્ણ થયા પછી, કન્યાઓને ભોજન કરાવો. આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં લગ્ન થઈ જશે અને સારો વર પણ મળે છે. તો આ હતા ચોખા સાથે જોડાયેલા કેટલાક ઉપાય જેને તમે જરૂર કરી જુવો.