ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે આ 6 છોડ, નવરાત્રિ દરમિયાન તેને ઘરે લાવવાથી મળે છે વિશેષ ફળ

ધાર્મિક

કોરોનાની વચ્ચે માતા દુર્ગાનો તહેવાર નવરાત્રી ફરી એક વખત આવી ગયો છે. ગયા વર્ષે આ તહેવાર ખૂબ જ ફિક્કો રહ્યો હતો. જોકે આ વખતે સરકારે થોડી છૂટછાટ આપી છે. તેનાથી આ વખતે માતાના પંડાલોમાં થોડી રોનક જોવા મળી રહી છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી ગરબા અને ભક્તિનો તહેવાર શરૂ થઈ ચુક્યો છે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે જે માતા દુર્ગાના નવ અવતારોને સમર્પિત છે. તેમાં દરેક દિવસે વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર 15 ઓક્ટોબર સુધી ચાલશે.

ધતુરા: ધતુરાને ડેવિલ્સ ટ્રમ્પેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની તમામ પ્રજાતિઓ ઝેરી હોય છે. તે ભગવાન શિવની પૂજા અને પ્રાર્થનામાં શામેલ થાય છે. નવરાત્રિમાં શુભ સમય જોઈને ધતુરાનું મૂળ તમારા ઘરમાં લાવો. લાલ કપડામાં લપેટીને મંત્રોના જાપ સાથે પૂજા-હવન કરો. તેનાથી તમારા ઘરમાં આવતી દરેક સમસ્યાઓ દૂર થશે.

વડનું પાન: વડના વૃક્ષની ઘણી માન્યતાઓ છે. તેને ભગવાન શ્રીકૃષ્ણના વિશ્રામ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર શાસ્ત્રો કહે છે કે વૈદિક સ્તોત્રો તેના પાના છે. નવરાત્રિના કોઈપણ દિવસે વડનું એક પાન પોતાની સાથે લઈને આવો, ગંગાજળથી તેને સાફ કરીને તેના પર ઘી અને હળદરથી સ્વસ્તિક બનાવો. દરરોજ પૂજા સ્થળ પર તેની પૂજા કરો. થોડા દિવસોમાં શુભ સમાચાર આવવા લાગશે.

પારિજાત: પારિજાત એક સુગંધિત ફૂલ છે જે સાંજે ખીલે છે અને સવાર થતાની સાથે જ મુરજાઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ સમુદ્ર મંથનના પરિણામ રૂપે પ્રગટ થયું હતું. તેના પાનનો ઉપયોગ આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉપચારમાં કરવામાં આવે છે. આ છોડને નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવાથી તમને સમૃદ્ધિ મળશે. આ છોડને લાલ કપડામાં લપેટીને તમારા પૈસા પાસે રાખી દો.

તુલસીનો છોડ: તુલસી એક આધ્યાત્મિક ઉપચાર ગૃહ છોડ માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આ છોડ સામાન્ય રીતે મોટાભાગના હિન્દુ પરિવારોના આંગણામાં લગાવવામાં આવે છે. જો તમારા ઘરમાં આ છોડ નથી, તો તેને તમારા ઘરમાં આ નવરાત્રિ દરમિયાન જરૂર લગાવો. દરરોજ તેની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો. આ સાથે તમને માતા લક્ષ્મી તરફથી ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મળશે.

કેળાનો છોડ: વાસ્તુ અને કેટલાક પવિત્ર શાસ્ત્રોમાં કેળાના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે માનવામાં આવે છે કે આ વૃક્ષ દેવતાઓનું નિવાસસ્થાન છે. આ છોડને તમારા ઘરે લાવો અને તેને ઉત્તર-પૂર્વ દિશામાં લગાવો. આ સાથે દર ગુરુવારે પાણીમાં થોડું દૂધ મિક્સ કરો અને મંત્ર જાપ સાથે છોડ પર રેડો. તેનાથી તમારી આર્થિક મુશ્કેલીઓ ટૂંક સમયમાં દૂર થશે.

શંખપુષ્પીનો છોડ: શંખપુષ્પી એક જાદુઈ ઔષધિ છે, જેનો ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. શંખ અથવા શંખના આકારના ફૂલને કારણે તેનું નામ આ પડ્યું છે. તેને સંસ્કૃતમાં મંગલ્યાકુશમના નામથી ઓળખવામાં આવે છે. સૌભાગ્ય અને સ્વાસ્થ્ય લાવનારા આ છોડને નવરાત્રિમાં ઘરે લઈને આવો. તેના મૂળને ચાંદીની ડબ્બીમાં રાખીને તમારા પૈસા રાખવાની જગ્યા પર રાખી દો, તેનાથી ઘરમાં પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જશે.