બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. દુનિયાભરમાં તેના ચાહકો ફેલાયેલા છે. એશ્વર્યાએ પોતાની એક્ટિંગની સાથે જ દરેકને પોતાની સુંદરતાથી પણ દીવાના બનાવી દીધા છે. નોંધપાત્ર છે કે હિન્દી સિનેમામાં પગ મૂકતા પહેલા જ એશ્વર્યાનું નામ આખી દુનિયામાં થઈ ચૂક્યું છે.
ખરેખર એશ્વર્યાએ વર્ષ 1994માં મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ એવોર્ડ સાથે તે આખી દુનિયામાં લોકપ્રિય થઈ ચુકી હતી. આ સાથે જ તેણે ભારતનું નામ પણ રોશન કર્યું હતું. ત્યાર પછી તે ફિલ્મી દુનિયામાં આવી. એશ્વર્યાએ અહીં પણ પોતાના જલવા ફેલાવ્યા અને હિન્દી સિનેમાની સૌથી સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક કહેવાઈ.
એશ્વર્યા રાય સાથે જોડાયેલી ઘણી વાતો ખૂબ જ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એશ્વર્યા સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જ્યારે એશ્વર્યાના નામ પર એક વિદેશી પાસેથી 16 કિલોનું પાર્સલ આવ્યું અને તેની અંદર જે ચીજો આવી તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો ચાલો જાણીએ શું છે બાબત.
આ કિસ્સો છે વર્ષ 2006 નો. ત્યારે એશ્વર્યાના નામ પર મુંબઈની એક પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે નેધરલેન્ડથી કોઈએ એશ્વર્યા માટે પાર્સલ મોકલ્યું હતું. તે પાર્સલનું કુલ વજન 16 કિલો હતું. તેમાં ઘણી ચીજો હતી. પાર્સલ પર એશ્વર્યાના નામની સાથે તેના ઘરનું એડ્રેસ પણ લખેલું હતું.
એશ્વર્યાના નામ પર આટલું મોટું પાર્સલ હોવાને કારણે કસ્ટમ વિભાગ એ તેને પોતાના કબજામાં લીધું અને પછી એશ્વર્યાનો પત્ર માધ્યમ દ્વારા સંપર્ક કર્યો. સમાચાર મળ્યા કે એશ્વર્યા ત્યારે મુંબઈમાં ન હતી. તે રાજસ્થાનની રાજધાની જયપુરમાં પોતાની ફિલ્મ ‘જોધા અકબર’ના શૂટિંગમાં વ્યસ્ત હતી.
જ્યારે એશ્વર્યા ન આવી શકી ત્યારે કસ્ટમ વિભાગે શંકા જતા તેને ખોલી નાખ્યું. તેની અંદર જે ચીજો નિકળી તેને જોઈને કસ્ટમ વાળા આશ્ચર્યચકિત થઈ ગયા. તેની અંદરથી કેટલીક ઈલેક્ટ્રોનિક ચીજો અને ગેજેટ્સ નીકળ્યા હતા. સાથે જ તે પાર્સલમાંથી વિદેશી ચલણ (યુરો) પણ નીકળ્યા હતા. જેની કિંમત 13 લાખ રૂપિયા હતી.
કસ્ટમ વિભાગે આ બાબત પર એશ્વર્યાને પોતાની સ્પષ્ટતા વ્યક્ત કરવા માટે એક નોટિસ મોકલી હતી. તેના જવાબમાં એશ્વર્યા રાયે કહ્યું કે તે પાર્સલ મોકલનાર વ્યક્તિને ઓળખતી નથી. તેણે એમ પણ કહ્યું કે એકવાર હું એક એવોર્ડ શો માટે નેધરલેન્ડ જરૂર ગઈ હતી.