લતા મંગેશકરજીએ રવિવારે સવારે આ દુનિયામાંથી વિદાય લીધી અને રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં પંચતત્વમાં ભળી ગયા અને પોતાની પાછળ છોડી ગયા પોતાના મખમલી, સુરીલા અવાજમાં હજારો ગીતો. અગણિત યાદો, અગણિત કિસ્સાઓ, સ્ટોરીઓ. લતાજી ચાલ્યા ગયા છતાં તેઓ હંમેશા ભારતીયોના દિલમાં જીવિત રહેશે.
લતાજી ખૂબ જ મોટા વ્યક્તિત્વ હતા. તેમનું ‘ભારત રત્ન’ હોવું તેમના વિશે બધું જ જણાવે છે. ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ની સાથે, તે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ઓફિસિયર ડે લા લીજન ડી’ઓનર’થી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સમ્માન તેમને મુંબઈમાં વર્ષ 2009માં આપવામાં આવ્યું હતું.
લતા મંગેશકરજી હંમેશા પોતાના ગીતોથી પોતાના કરોડો ચાહકોને યાદ આવતા રહેશે. લતાએ 36 ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેમણે હિન્દી, મરાઠી, ભોજપુરી સહિત ઘણી ભાષાઓમાં ગીત ગાયા. તેમની સિંગિંગ કારકિર્દી 80 વર્ષની રહી.
લતાએ માત્ર 13 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કરી દીધું હતું. પોતાના ગીતોની સાથે જ લતાજી પોતાના વ્યક્તિત્વ ને લઈને પણ દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. લતાજી એક મહાન સિંગર હતા પરંતુ તેમણે ક્યારેય આ વાત જાહેર ન થવા દીધી. તે એક સામાન્ય મહિલાની જેમ જ રહ્યા.
લતાજી કરોડો અને અબજો રૂપિયાના માલિક હતા, છતા તે સરળ જીવન જીવતા હતા. તેમનો પહેરવેશ, ખોરાક અને લાઈફસ્ટાઈલ બધું જ સરળ હતું. લતાજી હંમેશા સફેદ રંગની સાડી પહેરતા હતા. બાળપણથી લઈને અંત સુધી લતાજી સફેદ રંગની સાડીમાં જોવા મળ્યા.
લતાજીએ ક્યારેય લગ્ન નથી કર્યા. તે જીવનભર કુંવારા જ રહ્યા. પરંતુ તે સાડી શરૂઆતથી જ પહેરતા હતા અને હંમેશા સાડી જ પહેરી. પરંતુ ધન્ય આપવા યોગ્ય વાત એ છે કે છેવટે લતાજી સફેદ રંગની સાડી શા માટે પહેરતા હતા? એક વખત લતાજીએ પોતે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો. ખરેખર તેમને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘તમે સફેદ સાડી શા માટે પહેરો છો?’
લતાજીએ જવાબમાં કહ્યું કહ્યું કે, “મને સફેદ બાળપણથી પસંદ છે. હું જ્યારે નાની હતી ત્યારે પણ ઘાઘરા ચોલી પહેરતી હતી, તે પણ સફેદ જ પહેરતી હતી. પરંતુ વચ્ચે એક એવો સમય અવ્યો હતો કે મેં કલર સાડી પહેરવાનું શરૂ કર્યું હતું અને હું દરેક રંગની સાડી પહેરતી.
આગળ સ્વર કોકિલા એ કહ્યું હતું કે, “પરંતુ એક-બે વર્ષ પછી બેઠા-બેઠા મને વિચાર આવ્યો કે આ વાતતનો કોઈ અંત જ નથી કે આજે મને ગુલાબી પસંદ આવી તો, કાલે પીળી તો પછી વાદળી. અને એનો કોઈ અંત નથી એટલે મેં એક જ દિવસમાં નક્કી કર્યું કે આજથી હું સફેદ સિવાય બીજું કંઈ પહેરીશ નહિ.”
સંગીત નિર્દેશકે કહ્યું હતું – તમે સફેદ ચાદર ઓઢીને ચાલ્યા આવો છો: એક વખત લતાજીને સફેદ સાડી પહેરાવા પર ભૂતકાળના પ્રખ્યાત સંગીત નિર્દેશક રહેલા ગુલામ મુસ્તફા દુર્રાનીએ સફેદ સાડી પહેરવા પર કહ્યું હતું કે, “લતા તમે રંગીન કપડાં શા માટે નથી પહેરતા? આ શું તમે સફેદ ચાદર ઓઢીને ચાલ્યા આવો છો? આ વાતથી દુઃખી થઈને લતા દીદીએ આ સંગીતકાર સાથે ફરી ક્યારેય કામ નથી કર્યું.