4 ડિસેમ્બરના રોજ છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ 4 રાશિના લોકો માટે છે અશુભ, સમય રહેતા કરો આ ઉપાય

ધાર્મિક

ચંદ્રગ્રહણ પછી હવે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ડિસેમ્બર મહિનામાં પડવા જઈ રહ્યું છે. છેલ્લું સૂર્યગ્રહણ આવતા મહિને 4 ડિસેમ્બર, 2021 ના રોજ થવાનું છે. તે દિવસે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં. આ કારણે તેનો સુતક કાળ પણ માનવામાં આવશે નહીં.

ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, આ ગ્રહણ શુભ નથી કારણ કે આ સમય દરમિયાન સૂર્ય કે ચંદ્ર ને રાહુ દ્વારા પીડિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. જોકે વિદ્વાનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાર પછી પણ સૂર્યગ્રહણની રાશિઓ પર અસર જોવા મળશે. આવી સ્થિતિમાં આ સૂર્યગ્રહણ કેટલીક રાશિના લોકો માટે સારું સાબિત થવાનું નથી. ચાલો જાણીએ કઈ રાશિ માટે આ ગ્રહણ અશુભ સાબિત થશે.

મેષ રાશિ: જે લોકોની રાશિ મેષ છે તેમના માટે આ ગ્રહણ શુભ નથી. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે, ખરાબ સમાચાર મળવાની સંભાવના છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.

કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ અશુભ રહેશે. આ રાશિના લોકોનો કારણ વગર પોતાના મિત્રો સાથે વિવાદ થઈ શકે છે, આટલું જ નહિં આ લોકોને પોતાના સંતાન તરફથી તણાવ મળશે.

તુલા રાશિ: તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે પણ આ ગ્રહણ અશુભ અસર લાવશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને વાદ-વિવાદ કરવાથી બચો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકોને ધ્યાનથી જણાવી દો કે, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આ રાશિમાં રહેવાનું છે, જેના કારણે તેમનું મન અશાંત રહી શકે છે. આ ગ્રહણ પછી તમને થોડું ટેન્શન થઈ શકે છે, જેના કારણે તમને કામ કરવાનું મન નહીં થાય.

મીન રાશિ: આ સૂર્યગ્રહણ મીન રાશિના લોકો માટે પણ ખરાબ અસર લાવનાર છે. આ કારણોસર તમને આધ્યાત્મિક કાર્યમાં અરુચિ રહેશે. આ સાથે જ નોકરીમાં ટ્રાન્સફરની સંભાવના પણ છે. તમારા પિતા સાથે કોઈ કારણ વગર વિવાદ થવાની સંભાવના છે.

સૂર્ય ગ્રહણ 2021 નો સમય આ છે: વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર શનિવારના રોજ આવી રહ્યું છે. આ દિવસે માગસર કૃષ્ણ પાની અમાસ પણ છે. વર્ષનું આ સૂર્યગ્રહણ 10:59 વાગ્યે શરૂ થશે અને 3:07 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક સંબંધિત બાબતો પર ધ્યાન આપવામાં આવશે નહીં.