છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ભારતીય ફિલ્મો અને દક્ષિણ ભારતીય સ્ટાર્સે જબરદસ્ત સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. બાહુબલી, બાહુબલી 2, KGF, KGF 2, પુષ્પા અને RRR જેવી દક્ષિણ ભારતીય ફિલ્મોએ પૂરા દેશ અને દુનિયામાં ધૂમ મચાવી છે અને તેમના કલાકારોએ પણ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.
આ વાતમાં કોઈ શંકા નથી કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિન્દી સિનેમાની બરાબરી પર આવી ગઈ છે. પરંતુ ઘણા લોકોનું તો એ પણ માનવું છે કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિન્દી સિનેમાથી આગળ નીકળી ચુકી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોને હિન્દી દર્શકો તરફથી પણ અપાર પ્રેમ મળી રહ્યો છે. આ દિવસોમાં કન્નડ ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ દરેક જગ્યાએ છવાયેલી છે. આ ફિલ્મ એ માત્ર 6 દિવસમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
આ પહેલા ચર્ચા થઈ રહી હતી ફિલ્મ ‘RRR’ની. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી હતી દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર એ. આ ફિલ્મનું નિર્દેશન બાહુબલી અને બાહુબલી 2 જેવી ઐતિહાસિક ફિલ્મો આપનાર એસએસ રાજામૌલીએ કર્યું હતું.
‘RRR’એ પણ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. ફિલ્મના હિન્દી વર્ઝનની કમાણી પણ 250 કરોડ રૂપિયાથી વધુ રહી હતી. ભૂતકાળમાં ફિલ્મના અભિનેતા રામ ચરણ ભગવાન અયપ્પાની દીક્ષાને કારણે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે હવે ફિલ્મના બીજા અભિનેતા જુનિયર એનટીઆર એ હનુમાન દીક્ષા લીધી છે.
સોશિયલ મીડિયા પર જુનિયર એનટીઆરની કેટલીક તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. રામ ચરણે પહેલા અયપ્પા સ્વામીની દીક્ષા લીધી હતી અને તેઓ ઘણી જગ્યા પર ખુલ્લા પગે અને કાળા કપડામાં જોવા મળ્યા હતા જ્યારે હવે જુનિયર એનટીઆર પણ ખુલ્લા પગે જોવા મળી રહ્યા છે અને તેમણે ભગવા રંગના કપડાં પહેર્યા છે. આટલું જ નહીં તેના કપાળ પર તિલક પણ લાગેલું છે.
કહેવામાં આવી રહ્યું છે કે જુનિયર એનટીઆરએ પોતાની ફિલ્મ ‘RRR’ની અપાર સફળતા પછી હનુમાન દીક્ષા લીધી છે. તે 21 દિવસ સુધી સખત સાધનામાંથી પસાર થશે, જુનિયર એનટીઆર આ દિવસોમાં પગમાં જૂતા અને ચપ્પલ પહેરશે નહિં. જુનિયર 21 દિવસ સુધી ખુલ્લા પગે રહેશે.
વાયરલ તસવીરોમાં તમે જુનિયર એનટીઆરને ભગવા કપડામાં જોઈ શકો છો. તેમણે ભગવા રંગનો કુર્તો પાયજામો પહેર્યો છે. સાથે જ તેમના ખભા પર ભગવા રંગનો ગમછા પણ છે. અભિનેતાની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
હનુમાન જન્મોત્સવ પર લીધી હનુમાન દીક્ષા: જુનિયર એનટીઆરની આ તસવીર હનુમાનજીની જન્મજયંતિના દિવસની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો છે કે NTRએ હનુમાન જન્મોત્સવના પ્રસંગ પર હનુમાન દીક્ષા લીધી છે. પહેલા તેમણે મંદિરમાં પૂજા કરી અને પછી દીક્ષા લીધી. તે 21 દિવસ સુધી ખુલ્લા પગે રહેશે અને આ દરમિયાન તેઓ સાત્વિક ભોજન કરશે. સાથે જ બ્રહ્મચર્યનું પાલન પણ કરશે.
જુનિયર એનટીઆરની આ તસવીર પર એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, “જય શ્રી રામ. જય હનુમાન”. સાથે જ એક યુઝરે લખ્યું કે, જય હનુમાન. જય એનટીઆર”. એક યુઝરે કમેન્ટ કરી કે, “બોલિવૂડ કરતાં સારું. આદર”.
જુનિયર એનટીઆરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેમની આગામી ફિલ્મ ડિરેક્ટર કોરાતાલા સિવા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ હશે. હાલમાં, તે RRRની સફળતાને એંજોય કરી રહ્યા છે. 550 કરોડથી વધુના બજેટમાં બનેલી આ ફિલ્મ એ કુલ 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને ફિલ્મ આજે પણ સિનેમાઘરોમાં ટકેલી છે. નોંધપાત્ર છે કે એનટીઆરની ફિલ્મી કારકિર્દીને 26 વર્ષ પૂરા થઈ ગયા છે. તેની પહેલી ફિલ્મ 12 વર્ષની ઉંમરમાં ‘બાલ રામાયણમ’ આવી હતી. આ ફિલ્મમાં તેમણે ભગવાન શ્રી રામની ભૂમિકા નિભાવી હતી.