સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. કહેવાય છે કે જેમના પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે, તેમનું નસીબ ખુલી જાય છે. આગામી 1 મહિનો સૂર્ય ભગવાન 6 રાશિના લોકોનું નસીબ ચમકાવશે. ખરેખર 17 સપ્ટેમ્બરના રોજ, સવારે 7:35 વાગ્યે, સૂર્ય સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં ગોચર કરશે. તે અહીં 16 ઓક્ટોબર સુધી રહેશે. આવી સ્થિતિમાં 6 રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે.
મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી તમારું નસીબ સૌથી શક્તિશાળી રહેશે. આવી સ્થિતિમાં, તમે આ 1 મહિનામાં તમામ શુભ કાર્ય શરૂ કરી શકો છો. તમારા જૂના અટકેલા કામ પણ આ મહિને પૂરા થશે. જીવનના દુ:ખ અને પરેશાનીઓ દૂર થશે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. ઘરમાં સમૃદ્ધિ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક રાશિ: સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકોના જીવનમાં સારા દિવસો લાવશે. તમે તમારી બધી જૂની બીમારીથી છુટકારો મેળવશો. તમને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. બધી જૂની ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થશે. નવું મકાન અને વાહન ખરીદવાની તક મળશે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમને લગ્ન કરવાની તક મળશે. તમે કોઈ શુભ કાર્ય માટે લાંબી મુસાફરી પર જઈ શકો છો.
તુલા રાશિ: સૂર્યનું રાશિ પરિવર્તન તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. ધન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ સમાપ્ત થશે. પૈસા કમાવવાની નવી તક મળશે. માસિક આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. બોસ તમારા કામથી ખુશ થશે. ધંધામાં લાભ થશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્ચો છો તો આ યોગ્ય સમય છે. પૈસાના રોકાણ માટે પણ સમય સારો છે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકોને સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કારકિર્દીમાં મોટો ફાયદો થશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ મળશે. નવી નોકરીની ઓફર તમારું જીવન બદલી શકે છે. તમારા વર્તમાન ધંધામાં થોડા પૈસાનું રોકાણ કરીને તેને વધારવાથી તમને ભવિષ્યમાં ખૂબ લાભ મળશે. જે લોકો બેરોજગાર છે તેમને થોડી મહેનત કરવી પડશે. તેનાથી તેમની કારકિર્દીમાં ચાર ચાંદ લાગી જશે.
ધન રાશિ: સૂર્યનું ગોચર ધન રાશિના લોકોના જીવનના તમામ દુ:ખ અને દર્દ સમાપ્ત કરશે. તમારા જીવનમાં હવે વધુ ખુશીઓ આવશે. તમે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ લેશો. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. જો તમે નવું મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે. પ્રેમ સંબંધના મામલામાં તમને સફળતા મળશે.
મીન રાશિ: સૂર્યનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકોના જીવનમાં ઘણા મોટા અને સકારાત્મક ફેરફારો લાવશે. નોકરી અને ધંધામાં મોટો ફાયદો થશે. જૂના મિત્ર સાથે મુલાકાત લાભદાયક રહેશે. અપરણિત લોકોને સારા લગ્ન સંબંધ મળશે. વિદેશ મુસાફરીન અયોગ બની શકે શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. સંતાન સુખ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.