જાણો ક્યારે છે રક્ષાબંધન? બહેનોએ ભૂલથી પણ ભાઈના કાંડા પર ન બાંધવી જોઈએ આવી રાખડી, આ વાતોનું રાખો ધ્યાન

ધાર્મિક

હિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે. તે સૌથી મોટા તહેવારોમાંથી એક હોય છે. પંચાંગ મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે. તેને રાખી અને રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. આ સાથે બહેન ભાઈ પાસેથી પોતાની રક્ષાનું વચન લે છે.

જોકે આજકાલ બજારમાં અનેક રંગબેરંગી ફેન્સી અને મોંઘી રાખડીઓ મળે છે. બહેનો તેમના ભાઈઓ માટે શ્રેષ્ઠ રાખડી ખરીદવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તેની અશુભ અસર થઈ શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને રક્ષાબંધનનો તહેવાર ક્યારે છે અને રાખડી ખરીદતી વખતે અને બાંધતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જાણો ક્યારે છે રક્ષાબંધન જો હિંદુ કેલેન્ડર મુજબ જોવામાં આવે તો શ્રાવણ મહિનાની પૂનમની તિથિ 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10:38 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7:05 વાગ્યે સમાપ્ત થશે. પરંતુ સવાલ એ થાય છે કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે? તમને જણાવી દઈએ કે શ્રાવણ પૂનમ 11 ઓગસ્ટ 2022થી શરૂ થઈ રહી છે. માન્યતા મુજબ રક્ષાબંધન માટે સૌથી સારો સમય બપોર પછી માનવામાં આવ્યો છે. પૌરાણિક માન્યતા મુજબ બપોરનો સમય રાખડી બાંધવા માટે સૌથી યોગ્ય જણાવવામાં આવ્યો છે.

આ સાથે જ જો બપોર પછી ભદ્રા હોય તો તે શુભ માનવામાં આવતું નથી. 11 ઓગસ્ટ, 2022 ના રોજ, પ્રદોષ કાળ દરમિયાન ભદ્ર પૂંછ સમય સાંજે 5:18 વાગ્યાથી 6:18 વાગ્યા સુધી રક્ષા સૂત્ર બાંધી શકો છો. જો આ શક્ય ન હોય અને જે લોકો સૂર્યાસ્ત પછી રાખડી બાંધતા નથી તે લોકો બીજા દિવસે એટલે કે 12 ઓગસ્ટે રાખડી બાંધી શકે છે. તમને જણાવી દઈએ કે રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ 2022 ના રોજ રાત્રે 8:52 વાગ્યાથી 9:20 વાગ્યા સુધી છે. આ સમય પણ રાખડી બાંધવા માટે યોગ્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ બાબતોનું રાખો ધ્યાન: જો તમે તમારા ભાઈ માટે રાખડી ખરીદી રહ્યા છો, તો તે સમયે ધ્યાનમાં રાખો કે રાખડી પર કોઈ પણ પ્રકારના અશુભ સંકેત ન હોવા જોઈએ. આવી રાખડી ભૂલથી પણ ન ખરીદો અને ન બાંધો.

રાખડીમાં કોઈપણ દેવી-દેવતાની તસવીર ન હોવી જોઈએ: આજકાલ બજારમાં દેવી-દેવતાઓની તસવીરવાળી ઘણી રાખડીઓ મળે છે. આ વાતનું ધ્યાન રાખવું પડશે કે આવી રાખડીઓ તમારા ભાઈના કાંડા પર લાંબા સમય સુધી બંધાયેલી રહે, જેના કારણે તે અશુદ્ધ થઈ જાય છે અને પછી ક્યાંક પડી પણ શકે છે. આ બંને સ્થિતિમાં ભગવાનનું અપમાન થાય છે, જેના કારણે અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે.

તૂટેલી રાખડી ન બાંધો: ઘણીવખત એવું બને છે કે ઉતાવળમાં બહેનો તૂટેલી રાખડી ખરીદે છે. જો કોઈ પણ રાખડીનો દોરો નીકળી ગયો હોય અથવા કોઈ પણ રાખડી પર બનાવેલું ચિન્હ ક્યાંકથી તૂટેલું છે, તો તમે આવી રાખડી ભૂલથી પણ ન ખરીદો અને ન તો તમારા ભાઈના કાંડા પર બાંધો.

આ રંગની રાખડી ન બાંધવી જોઈએ: રક્ષાબંધન પર, બહેનો પોતાના ભાઈની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. એટલા માટે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ભાઈના કાંડા પર કાળા રંગની રાખડી ભૂલથી પણ ન બાંધો કારણ કે આ રંગ નકારાત્મકતાનું પ્રતીક હોય છે. શુભ કાર્યમાં તેનો ઉપયોગ થતો નથી. જો રાખડીમાં કાળો દોરો કે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તમારે આવી રાખડી બજારમાંથી ન ખરીદવી જોઈએ અને ન બાંધવી જોઈએ.