ખૂબ જ અશુભ હોય છે ધનતેરસ પર ખાલી વાસણ ઘરે લાવવા, તેમાં રાખો આ 3 શુભ ચીજો, વર્ષ ભર રહેશે બરકત

ધાર્મિક

હિન્દુ ધર્મમાં ધનતેરસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે દરેક વ્યક્તિ ધનની દેવી મહાલક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેરને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. કહેવાય છે કે ધનતેરસ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને જીવનભર પૈસાની કમી નથી રહેતી. ધનતેરસનો આ તહેવાર દર વર્ષે આસો મહિનાની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 22 ઓક્ટોબર અને 23 ઓક્ટોબર એમ બંને દિવસે ઉજવવામાં આવી રહી છે.

પંડિતોનું માનવું છે કે 22 ઓક્ટોબરે તમારે ધનની પૂજા કરવી જોઈએ જ્યારે તમે ખરીદી 23 ઓક્ટોબરે પણ કરી શકો છો. ધનતેરસના દિવસે ઘરમાં નવી ચીજો ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદી, ધાણા, સાવરણી અને નવી ચીજો ખરીદવાનું મહત્વ છે. સાથે જ જો તમે લોખંડની ચીજો, વાહન વગેરે ખરીદવા ઈચ્છો છો તો તેને રવિવારે લાવવી જોઈએ.

ધનતેરસ પર ઘરે લાવો આવા વાસણો: ધનતેરસ પર ઘણા લોકો નવા વાસણો પણ ખરીદે છે. આ દિવસે તમારે પ્લાસ્ટિક અને સ્ટીલના વાસણો ખરીદવાથી બચવું જોઈએ. સ્ટીલ લોખંડ અને કાર્બનના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તે એક અશુદ્ધ ધાતુ હોય છે. જ્યારે ધનતેરસ પર માત્ર શુદ્ધ ધાતુ જેમ કે પિત્તળ, તાંબુ, સોનું, ચાંદી વગેરે જેવી ધાતુઓનું જ મહત્વ રહે છે.

ધનતેરસના દિવસે જ્યારે પણ તમે નવા વાસણો ખરીદીને ઘરે લાવો ત્યારે તેને ક્યારેય પણ ખાલી ન લાવવા જોઈએ. આ વાસણો ખાલી ઘરમાં લાવવામાં આવે તો ઘરની બરકત ચાલી જાય છે. તેથી, તેને ઘરમાં લાવતા પહેલા તેની અંદર કેટલીક ખાસ અને શુભ ચીજો મૂકવી જોઈએ. આ ભરેલા વાસણો ઘરે લાવવાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં પૈસા અને ભોજનની કોઈ કમી નથી રહેતી. તો ચાલો જાણીએ કે વાસણની અંદર તમે કઈ-કઈ ચીજો રાખીને લાવી શકો છો.

ખાલી વાસણોમાં રાખો આ શુભ ચીજો-1. જળ: ધનતેરસ પર ખરીદેલા વાસણમાં જળ ભરીને તેને ઘરે લાવી શકાય છે. સનાતન ધર્મમાં જળને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના પાંચ તત્વોમાંથી જળ પણ એક છે. શાસ્ત્રોમાં જળને પણ દેવતાની સંજ્ઞા આપવામાં આવી છે. જો તમે ઈચ્છો તો આ જળમાં થોડું ગંગાજળ પણ ઉમેરી શકો છો. સાથે જ જળ ઉપરાંત વાસણમાં દૂધ અથવા મધ ઉમેરીને પણ તેને ઘરે લાવી શકાય છે.

2. ચોખા: જ્યારે પણ કોઈ પૂજા કે હવન હોય ત્યારે તેમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. આ અક્ષત દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. દેવી-દેવતાઓને ચઢાવવામાં આવતી પ્રસાદી જેમ કે ખીરમાં પણ ચોખા હોય છે. તેથી, ધનતેરસ પર તમે નવા વાસણોમાં ચોખા ભરીને પણ લાવી શકો છો. તે શુભ છે.

3. સાત પ્રકારના અનાજઃ ધનતેરસના દિવસે વાસણમાં સાત પ્રકારના અનાજ ભરવા સૌથી શુભ માનવામાં આવે છે. તેમાં તમે જવ, સફેદ તલ, ડાંગર, ઘઉં, ચણા, મગ અથવા મસૂર દાળ ભરી શકો છો. એક વખત આ સાત અનાજ ભરેલું વાસણ ઘરમાં લાવ્યા પછી તમે તેને સમાજમાં કોઈપણ જરૂરિયાતમંદને દાન પણ કરી શકો છો અથવા પછી કોઈ મંદિરમાં પણ ચઢાવી શકો છો.