સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવાથી શરીરને મળે છે આ 5 મોટા ફાયદા, જાણો કેવી રીતે

હેલ્થ

દિવસભરની વ્યસ્તતા પછી ખૂબ જ જરૂરી છે રાત્રે સારી અને શાંતિ ભરેલી ઉંઘ આવે. સારી ઊંઘ માટે એ ખૂબ જ જરૂરી છે કે તમારી સૂવાની રીતે યોગ્ય હોવી જોઈએ. સૂવાની રીત એવી હોવી જોઈએ કે શરીરના કોઈપણ ભાગ પર દબાણ ન આવે. જો અમે તમને જણાવીએ કે રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખીને સૂવાના ઘણા ફાયદા છે, તો તમારો જવાબ શું હોઈ શકે? કદાચ તમે કહેશો કે તેનાથી ઉંઘ ખૂબ સારી આવે છે અથવા તમે તમારા પગ નીચે ઓશીકું રાખીને સૂતા નથી.

જો કે, તમે ઘણી વખત જોયું હશે કે પ્રેગ્નેંસી દરમિયાન, મહિલાઓ તેમના પગ નીચે ઓશીકું રાખીને સૂઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું તે શા માટે કરે છે? તમને જણાવી દઈએ કે જો રાત્રે પગ નીચે ઓશીકું રાખીને સૂવામાં આવે, તો તેનાથી તમારા શરીરના કોઈ એક ભાગ પર ભાર નથી પડતો અને આખા શરીરનું વજન સમાન રીતે વધે છે. તેનાથી પગમાં સોજાની સમસ્યા ઓછી થઈ જાય છે. આટલું જ નહિં પરંતુ કમર પર પણ વધુ વજન નથી આવતો.

પરંતુ તમને જણાવી દઈએ કે આ રીત માત્ર પ્રેગ્નેંટ મહિલાઓ માટે જ ફાયદાકારક નથી પરંતુ તે દરેક માટે ફાયદાકારક સાબિત થાય છે. જો તમે રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખીને સૂઈ જાઓ તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ સાથે જ રોજની નાની-નાની સમસ્યાઓમાં જેમ કે પગમાં દુખાવો અને કમરના દુખાવામાં તે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો તમને જણાવીએ સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવાના ફાયદાઓ વિશે.

પગનો સોજો થાય છે ઓછો: જો કોઈ કારણસર પગમાં સોજાની સમસ્યા હોય તો આ રીત ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો તમને થાકને કારણે પગમાં સોજો આવી ગયો હોય, વેરિકોઝ વેઈન્સની સમસ્યા છે અથવા સ્નાયુઓમાં સોજો આવતો હોય, તો આ બધા સોજામાં તમારા પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી તમે સારું અનુભવી શકો છો. તે પગમાં ફ્યૂટ રિટેંશન ઓછું કરે છે અને પગના સોજાને દૂર કરવામાં મદદ કરે છે.

કમરના દુખાવામાં ફાયદાકારક છે: લાંબા સમય સુધી ખુરશી પર બેસીને જે લોકો કામ કરે છે તેમને કમરમાં દુખાવો થવાની ફરિયાદ રહે છે. આ ઉપરાંત ઘણી વખત આ સમસ્યા થતી રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો રાત્રે પગ નીચે ઓશીકું રાખીને સૂઈ જાઓ. તેનાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આટલું જ નહીં, પરંતુ તે સ્નાયુઓમાં સર્જાતા દબાણને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ડિસ્ક પેન ઘટાડી શકે છે: જણાવી દઈએ કે ડિસ્ક પેનમાં તમારી કરોડરજ્જુ પર દબાણ આવવાથી દુખાવો થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખી દો. તેનાથી દુખાવામાં રાહત મળી શકે છે.

સાઈટીકાના દુખાવાને ઘટાડી શકે છે: તમને જણાવી દઈએ કે સાઈટીકા એક ચેતા અવરોધ છે જે સામાન્ય રીતે તમારા નિતંબ અને તમારા પગના પાછળના ભાગમાં દુખાવો કરે છે. આ સ્થિતિમાં સૂવાથી તમારી કમરના નીચેના ભાગમાં દુખાવો થવાની સંભાવના છે, જે ચેતાને વધુ સંકુચિત કરી શકે છે અને સાઈટીકાનો દુખાવો વધારી શકે છે. આવી સ્થિતિમાં પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી તમને દુખાવામાં રાહત મળશે.

યોગ્ય કરે છે બ્લડ સર્કુલેશન: જો કોઈ વ્યક્તિના શરીરનું બ્લડ સર્કુલેશન યોગ્ય નથી તો તેના કારણે રાત્રે પગમાં તીવ્ર બળતરા અને પગમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે તમારા પગ નીચે ઓશીકું રાખીને સૂઈ જાઓ. તેનાથી તમે સારું અનુભવશે કારણ કે તે તમારા બ્લડ સર્કુલેશનને સુધારે છે અને પગમાં બળતરા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.