‘મેરા રંગ દે બસંતી..’ ગીત ગાનાર પ્રખ્યાત સિંગર ભૂપિન્દર સિંહનું 82 વર્ષની ઉંમરમાં થયું નિધન, જાણો તેમના નિધનનું કારણ

બોલિવુડ

પોતાના અવાજથી લોકો પર જાદુ કરનાર બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને ગઝલ લેખક ભૂપિન્દર સિંહનું સોમવારે નિધન થયું છે. આ વાતની માહિતી તેમની પત્ની મિતાલી સિંહે આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂપિન્દર સિંહનું નિધન મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં થયું, તેમની ઉંમર 82 વર્ષ હતી. ‘દિલ ઢૂંઢતા હૈ’, ‘નામ ગમ જાયેગા’, ‘આને સે ઉસકે આયે બહાર’ જેવા ઘણા સુપરહિટ ગીત ગાનાર ભૂપિન્દર સિંહનું આ દુનીયામાંથી આ રીતે ચાલ્યા જવું બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નથી.

10 દિવસ પહેલા ભૂપિન્દરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભૂપિન્દર સિંહને 10 દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ 18 જુલાઈના રોજ તેમનું નિધન થયું હતું. મુંબઈની ક્રિટિકેર એશિયા હોસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર દીપક નામ જોશીએ જણાવ્યું કે, “ભુપિન્દર સિંહને 10 દિવસ પહેલા અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ચેપ લાગ્યો હતો. અમને શંકા હતી કે તેમને પેટની બિમારી છે અને અમે તપાસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન તેને કોવિડ-19 થઈ ગયો અને સોમવારે સવારે તેમની તબિયત બગડી અને અમારે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા. તેમને હાર્ટ એટેક આવ્યો અને સોમવારે સાંજે 7:45 વાગ્યે તેમનું નિધન થયું.”

સંગીતની દુનિયા સાથે ન હતો કોઈ લગાવ, પરંતુ: જણાવી દઈએ કે, ભૂપિન્દર સિંહનો જન્મ 6 ફેબ્રુઆરી 1940ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પ્રોફેશનલ નાથ સિંહ એક ટ્રેંડ વોકલિસ્ટ હતા, તેમના પિતા દ્વારા જ તેમણે ગાયનનું શિક્ષણ મેળવ્યું હતું. જોકે બાળપણથી જ ભૂપિન્દર સિંહને સંગીતમાં ખાસ લગાવ ન હતો. પરંતુ તેમના પિતા સંગીતની દુનિયાના ખૂબ જ કડક શિક્ષક હતા.

આવી સ્થિતિમાં તેમણે પણ સંગીતની દુનિયામાં નામ કમાવ્યું અને પછી ધીમે ધીમે તે એક મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યા. ભૂપિન્દર સિંહે દિલ્હીના ઓલ ઈન્ડિયા રેડિયોમાં પહેલી વખત પરફોર્મ કર્યું હતું. ત્યાર પછી તેમણે ‘હોકે મજબૂર ઉસને મુઝે બુલાઈ હોગા’ ગીત ગાયું અને તેના દ્વારા તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા.

ત્યાર પછી ભૂપેન્દ્ર સિંહે પોતાની કારકિર્દીમાં ‘દૂરિયાં’, ‘હકીકત’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘સત્તે પર સત્તા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો. આ સાથે જ તેણે ‘મેરા રંગ દે બસંતી ચોલા’, ‘બીતી ના બિતાઈ રૈના’, ‘ઝિંદગી મિલકે બિતાએંગે’, ‘એક અકેલા ઇસ શહર મેં’, ‘પ્યાર હમે કિસ મોડ પર લે આયા હૈ’ જેવા સુપરહિટ ગીતો ગાયા.

જણાવી દઈએ કે આ દરમિયાન ભૂપેન્દ્ર સિંહે 1980માં મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. મિતાલી પોતે પણ બાંગ્લાદેશની પ્રખ્યાત સિંગર છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની બંનેએ ઘણા લાઈવ પરફોર્મન્સ આપ્યા હતા. તેમને નિહાલ સિંહ નામનો એક પુત્ર છે જે પણ એક પ્રખ્યાત મ્યૂઝિશિયન છે.