શ્રાવણ મહિનો 14મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનો દર વર્ષે અષાઢ મહિનાની અમાસના દિવસ પછીથી શરૂ થાય છે. આ મહિનો શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવની ખૂબ પૂજા-પાઠ કરે છે. કહેવાય છે કે આ મહિનામાં ભોળાનાથ પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં જો તમે શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરો છો તો તમે જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
સુખી લગ્ન જીવન માટે: જો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે, તો તમે શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરીને તમારી સમસ્યા દૂર કરી શકો છો. આ મહિનામાં પતિ-પત્નીએ દરરોજ શિવલિંગનો જલાભિષેક કરવો જોઈએ. આ દરમિયાન તમે શિવજી પાસેથી કોઈ ઈચ્છા પણ માંગી શકો છો.
આ ઉપરાંત પતિ-પત્ની દર સોમવારે શિવના નામ પર વ્રત રાખો. તેનાથી તમારા લગ્ન જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ સમાપત થશે. જો કોઈ કારણસર બંને એકસાથે આ કરી શકતા નથી તો બંનેમાંથી કોઈ એક પણ આ ઉપાય કરી શકે છે.
પૈસાની સમસ્યાઓ માટે: જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો શિવજી તમારી મદદ કરી શકે છે. તમે બસ શ્રાવણ મહિનામાં ઘરમાં શિવલિંગની સ્થાપના કરો. ત્યાર પછી દરરોજ આ શિવલિંગની દિલથી પૂજા કરો. ભગવાનને તમારી આર્થિક સ્થિતિ વિશે જણાવો. તમારી પૈસાની સમસ્યા દૂર થશે. પૈસા કમાવવાની નવી તક મળશે. વ્યર્થ પૈસા ખર્ચ નહીં થાય.
નોકરી માટે: જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા તમે કોઈ મોટી કંપનીમાં સારી નોકરી અથવા પ્રમોશન ઈચ્છો છો તો આ ઉપાય કરો. શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારે માતા પાર્વતીને ચાંદીની બિછિયા અથવા પાયલ ચળાઓ. સાથે જ શિવનો દૂધથી અભિષેક કરો. મહિલાઓ સુહાગની ચીજો પણ પાર્વતી માતાને અર્પણ કરી શકે છે. તેનાથી તમને ઈચ્છિત નોકરી મળી જશે.
દુઃખ દૂર કરવા માટે: જીવનમાં કોઈપણ પ્રકારના દુઃખ આ ઉપાયથી દૂર થઈ જશે. તમે શ્રાવણ મહિનામાં બળદને લીલો ચારો ખવડાવો છો. નંદી શિવજીને પ્રિય છે. તેને પ્રસન્ન કરવાથી શિવજી પણ પ્રસન્ન થશે. પછી તે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરશે.
બીમારીઓથી છુટકારો મેળવવા માટે: જો તમે વારંવાર બીમાર પડો છો અથવા કોઈ બીમારી તમારો પીછો નથી છોડી રહી તો આ ઉપાય કરો. શ્રાવણ મહિનામાં કોઈપણ સોમવારે ભગવાન શિવનો સરસવના તેલથી રુદ્રાભિષેક કરો. ત્યાર પછી ‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ કરો. આમ કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થઈ જશે.
શનિના પ્રકોપથી બચવા માટે: જો તમારી કુંડળીમાં શનિની અશુભ દ્રષ્ટિ છે તો તેનાથી બચવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ શિવજીનો કાળા તલવાળા જળથી અભિષેક કરો. આ ઉપરાંત પંચાક્ષર મંત્ર ‘ૐ નમઃ શિવાય’ ની માળાના જાપ કરો. આમ કરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે. સાથે જ દુર્ભાગ્ય પણ પાછળ છોડી જાય છે.