દુનિયાના સૌથી મોટા બિઝનેસમેન અને અમીરોના લિસ્ટમાં એક નામ ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણીનું પણ છે. મુકેશ અંબાણીનું છેલ્લા ઘણા સમયથી બિઝનેસ સેક્ટરમાં વર્ચસ્વ રહ્યું છે. અંબાણી પરિવાર માત્ર તેના બિઝનેસ માટે જ નહીં પરંતુ ધાર્મિક કાર્યક્રમો માટે પણ જાણીતો છે. કહેવાય છે કે જીવનમાં સફળતા માટે એક ગુરુ નું હોવું ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે અંબાણી પરિવારના પણ એક ગુરૂ છે, જેમનું નામ રમેશભાઈ ઓઝા છે. અંબાણી પરિવાર પોતાના દરેક નાના-મોટા નિર્ણય તેમની સલાહ પર લે છે.
અંબાણી પરિવારના ગુરુ રમેશ ભાઈ ઓઝા છે, જેઓ એક જાણીતા આધ્યાત્મિક ગુરૂ છે. તેઓ ગુજરાતના પોરબંદરમાં એક આશ્રમ ચલાવે છે, જેનું નામ ‘સાંદીપનિ વિદ્યાનિકેતન આશ્રમ’ છે. રમેશભાઈ ઓઝા અંબાણી પરિવાર સાથે ત્યારથી છે, જ્યારે ધીરુભાઈ અંબાણી તેમની સફળતાના શિખર પર હતા. અંબાણી પરિવાર માટે તેમના મહત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના દરેક નાના-મોટા નિર્ણયમાં રમેશભાઈ ઓઝાની સલાહ શામેલ હોય છે. એવું કહેવાય છે કે મુકેશ અંબાણી પોતાના બિઝનેસમાં કંઈ પણ નવું કરતા પહેલા પોતાના ગુરુની સલાહ લે છે.
રિપોર્ટ્સ મુજબ જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે બિઝનેસને લઈને તકરાર થઈ હતી, ત્યારે તેમના ગુરૂએ જ બંને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. મુકેશ અને અનિલની માતા કોકિલાબેને તેમને આ મુદ્દાને ઉકેલવા અને ભાઈઓ વચ્ચેના આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે બોલાવ્યા હતા, ત્યાર પછી તે આવ્યા પણ અને પોતાની જવાબદારી નિભાવતા બેંને ભાઈઓ વચ્ચે સમાધાન પણ કરાવ્યું.
આધ્યાત્મિક ગુરુ રમેશભાઈ ઓઝા ધીરુભાઈ અંબાણીના સમયથી અંબાણી પરિવારના ગુરૂ છે. કહેવાય છે કે ‘રિલાયન્સ’ના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અવારનવાર તેમના વીડિયો જોતા હતા. તેમનાથી પ્રભાવિત થઈને, વર્ષ 1997માં તેમણે રમેશભાઈ ઓઝાને તેમના ઘરે ‘રામ કથા’ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ‘રામાયણ પાઠ’નો આ કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો.
આ દરમિયાન રમેશ ભાઈ ઓઝા અને અંબાણી પરિવાર વચ્ચે સારો સંબંધ બની ગયો હતો અને ત્યારથી લઈને આજ સુધી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના માર્ગદર્શક તરીકે તેમની સાથે છે. આધ્યાત્મિક ગુરુના ભાઈ ગૌતમે ‘મુંબઈ મિરર’ને જણાવ્યું હતું કે, “તે સમયગાળા દરમિયાન અંબાણી પરિવારના ઘરે જ રમેશભાઈ ઓઝાની ‘રામ કથા’નું આયોજન કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવાર સાથે ઓઝાનો સારો સંબંધ બની ગયો હતો.”
આખો દિવસ રામ કથા ચાલતી હતી અને સાંજે રમેશભાઈ સાથે ચર્ચા થતી હતી. ત્યારથી શરૂ થયેલો આ સિલસિલો હવે ગુરુ-શિષ્ય વચ્ચે એક મજબૂત સંબંધમાં બદલાઈ ગયો છે અને હવે તેઓ અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં પરિવારના સભ્ય તરીકે જ શામેલ છે.
અંબાણી પરિવાર રમેશભાઈ ઓઝાનું કેટલું સમ્માન કરે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે રિલાયન્સે જામનગરમાં તેની પહેલી રિફાઈનરી સ્થાપિત કરી હતી, ત્યારે તેનું ઉદ્ઘાટન રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે રિલાયન્સના કર્મચારીઓને સંબોધિત કરતા તેમને કર્મયોગનું મહત્વ પણ સમજાવ્યું હતું.
જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે, રમેશભાઈ ઓઝા એક આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે, તેમણે ધર્મના સિદ્ધાંતોને વ્યવહારિકતા સાથે જોડવાનું કામ કર્યું છે. માત્ર અંબાણી પરિવાર જ નહીં પરંતુ દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના તમામ મોટા નેતાઓ તેમના આશ્રમમાં જઈ ચુક્યા છે. માહિતી મુજબ, જ્યારે દેશના વિદેશ મંત્રી રહીને સુષ્મા સ્વરાજે ‘ભગવત ગીતા’ને રાષ્ટ્રીય ધાર્મિક ગ્રંથ તરીકે જાહેર કરવાનો આગ્રહ કર્યો ત્યારે રમેશભાઈ ઓઝા તેમના માર્ગદર્શક હતા.
રમેશભાઈ ઓઝાનો જન્મ ગુજરાતના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના દાદી ભાગવત ગીતામાં ખૂબ માનતા હતા અને તે ઇચ્છતા હતા કે તેમના ઘરમાં દરરોજ ભગવત ગીતાના પાઠ કરવામાં આવે. દાદીની આ ઈચ્છા પૂરી કરવા માટે, તે દરરોજ ગીતા પાઠ કરવા લાગ્યા અને તેમનો રસ આધ્યાત્મ પ્રત્યે વધી ગયો અને તે આધ્યાત્મિક ગુરૂ બની ગયા.