આસો મહિનાની અમાસ પર દર વર્ષે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 4 નવેમ્બર, ગુરુવાર ના રોજ આવી રહ્યો છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે જે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે, તેને ધનની ક્યારેય કોઈ અછત નથી રહેતી.
આ દિવાળી પર ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. સાથે જ બુધ અને સૂર્ય તુલા રાશિમાં હોવાના કારણે બુધાદિત્ય નામનો રાજયોગ પણ બની રહ્યો છે. આ બે યોગ સાથે દિવાળી વધુ શુભ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમે આ દિવસે દિવાળી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો કરશો તો તમારી આર્થિક તંગી દૂર થઈ જશે. તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહેશે.
દિવાળીના આ ઉપાય બનાવી દેશે અમીર: દિવાળી પર જ્યારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે સાથે એક હળદરની ગાંઠ પણ રાખી દો. પૂજા સમાપ્ત થયા પછી આ ગાંઠને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. ઘરમાં પૈસાની આવક બની રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
દિવાળીની રાત્રે 12 વાગ્યે તમે શ્રીસૂક્ત અથવા લક્ષ્મી સૂક્તના પાઠ કરવાનું શરૂ કરી દો. તેને તમારે સંપૂર્ણ વિધિ સાથે કરવાનું છે. આ પાઠ વાંચવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તેનાથી તમારા ઘરમાં ધન આગમનની સંભાવના વધી જાય છે. પૈસા કમાવવાની નવી તક મળે છે.
લક્ષ્મી પૂજામાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા પછી આ ચોખાને ફેંકો નહિં અથવા રાંધીને ન ખાઓ પરંતુ તેને એક કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખી લો. ખરેખર ચોખા શુક્ર ગ્રહનું ધાન હોય છે. શુક્રને સુખ-સુવિધાનો કારક માનવામાં આવે છે. તેથી આ ચોખાને પર્સમાં રાખવાથી ઘરની બરકત જળવાઈ રહે છે.
દિવાળી પર ભગવાન વિષ્ણુની પૂજાનું પણ મહત્વ હોય છે. આ દિવસે તમે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધનું ભરીને વિષ્ણુજીનો અભિષેક કરો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તમે ઈચ્છો તો દૂધમાં થોડું કેસર પણ મિક્સ કરી શકો છો. તેનાથી તમને ગુરુ ગ્રહ સંબંધિત શુભ ફળ મળશે.
દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર આંબા અથવા આસોપાલવના પાનનું તોરણ બનાવીને લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, સાથે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ ચીજ તમારા ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. આસોપાલવ અને આંબાના પાનને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે, તેથી તમે તેના પાનથી બનેલું તોરણ લગાવો.
દિવાળી પર દાન ધર્મનું પણ પોતાનું મહત્વ હોય છે. ખાસ કરીને આ દિવસે કિન્નરને પૈસા આપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને દિવાળી પર કોઈ કિન્નર જોવા મળે તો તેને ખાલી હાથ જવા ન દો. તેને થોડા પૈસા દાનમાં આપો અને બદલામાં તેની પાસેથી 1 રૂપિયાનો સિક્કો લો. આ સિક્કાને લીલા કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ ક્યારેય અટકશે નહીં.