દિવાળી પર કરો આ 5 ઉપાય, ખુશ થશે માતા લક્ષ્મી, આપશે અપાર ધન-સંપત્તિ

ધાર્મિક

દિવાળી એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો આ તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જો કે, આ વખતે દિવાળીને લઈને એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તે માત્ર 4 દિવસ જ ચાલશે. ખરેખર આ વખતે નાની દિવાળી અને મોટી દિવાળી બંને 1 દિવસે ઉજવવામાં આવશે. સાથે જ દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણના કારણે ગોવર્ધન પૂજાને લઈને પણ લોકો મુંજવણમાં અટવાયા છે.

આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબરે આવી રહી છે. સાથે જ આસો મહિનાની ચૌદશ તિથિ 23 ઓક્ટોબરે સાંજે 6:04 વાગ્યાથી શરૂ થશે. તે 24 ઓક્ટોબરે સાંજે 5:28 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં જો ઉદયતિથિનું માનીએ તો નાની દિવાળી એટલે કે કાળી ચૌદશ 24 ઓક્ટોબર એ ઉજવવામાં આવશે. હવે મોટી દિવાળીની વાત કરીએ તો 24 ઓક્ટોબરની સાંજે 5:28 વાગ્યે અમાસ તિથિ શરૂ થઈ રહી છે, જે 25 ઓક્ટોબરે સાંજે 4:19 સુધી રહેશે. હવે 25 ઓક્ટોબરની સાંજે પ્રદોષકાળ પણ થઈ રહ્યો છે અને તે પહેલા અમાસ તિથિ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં દિવાળી પણ 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

દિવાળી પર માતા લક્ષ્મીની પૂજાનું ખૂબ મહત્વ હોય છે. તેમને ખુશ કરવા માટે ધનતેરસથી લઈને મોટી દિવાળીની લક્ષ્મી પૂજા સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ માતા લક્ષ્મી તેમને ધનવાન બનાવે તેવી ઈચ્છા રાખે છે. આવી સ્થિતિમાં જો તમે મોટી દિવાળીના લક્ષ્મી પૂજન પહેલા કેટલાક ખાસ ઉપાય કરશો તો માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે. તમે નાની દિવાળી પર આ ઉપાય કરો જેથી તમને તેનો સૌથી વધુ લાભ મળે.

નાની દિવાળી પર આ ઉપાયોથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન-1. છોટી દિવાળીના આગમન સુધીમાં ઘરની તમામ ગંદકી, ધૂળ, માટી, તૂટેલા વાસણો, કાટવાળી ચીજો, બગડેલી ચીજો અને અન્ય કચરો દૂર કરો. સાથે જ દિવાળી પહેલા ઘરની સારી રીતે સફાઈ કરો. તમારું ઘર જેટલું સ્વચ્છ હશે, તેટલી જ સકારાત્મક ઉર્જા રહેશે. મહાલક્ષ્મીને એવા ઘરમાં પ્રવેશ કરવો ગમે છે જ્યાં સકારાત્મક ઉર્જા વધુ હોય. જ્યાં ગંદકી છે ત્યાં નકારાત્મક ઉર્જા રહે છે. આવી જગ્યાએ મહાલક્ષ્મી આવતા નથી.

2. એકવાર ઘર સાફ થઈ જાય, તો ત્યાં ચારે બાજુ ગંગાજળ છાંટો. તેનાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આટલું જ નહીં તેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આવા વાતાવરણમાં માતા લક્ષ્મી માત્ર તમારા ઘરમાં આવશે જ નહિં પરંતુ લાંબા સમય સુધી નિવાસ પણ કરશે.

3. મોટી દિવાળી આવે તે પહેલા ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક જરૂર બનાવો. તમે ઈચ્છો તો ત્યાં શુભ અને લાભ પણ લખી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પહેલા પ્રવેશ કરે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન હોય છે, ત્યાં માતા લક્ષ્મીની કૃપા વર્ષભર રહે છે.

4. દિવાળીની પૂજા કરતા પહેલા ઘરના તમામ ભાગોને રંગબેરંગી રોશની, ફૂલો અને અન્ય ચીજોથી સજાવવા જોઈએ. તેનાથી તમારું ઘર તો આકર્ષિત બને જ છે સાથે સાથે સકારાત્મક વાતાવરણ પણ બને છે. આવા સકારાત્મક વાતાવરણમાં મહાલક્ષ્મી જલ્દી પ્રવેશ કરે છે અને તમને ઘણા આશીર્વાદ આપે છે.

5. મા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરવા માટે મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવી જોઈએ. આ રંગોળી સાથે માતા લક્ષ્મીના પગના નિશાન પણ બનાવવા જોઈએ. આ ઉપરાંત મુખ્ય દરવાજા પર દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ બધી ચીજો દ્વારા મહાલક્ષ્મી આપણા ઘરે જલ્દી આવે છે.