હિન્દુ ધર્મમાં ઘણા શાસ્ત્રો છે. આ ગ્રંથોમાં ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીમાં શું-શું કરવું જોઈએ, બધું તેમાં જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને તે નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જેનું પાલન સૂર્યાસ્ત પછી કરવું જોઈએ. શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી કેટલાક કાર્યો કરવાની મનાઈ છે. જો આપણે આ કામ કરીએ છીએ તો દુષ્પરિણામ ભોગવવા પડે છે. તો ચાલો જાણીએ કે આ કામ ક્યા-ક્યા છે.
ફૂલ-છોડને સ્પર્શ કરવો: શાસ્ત્રોનું માનીએ તો સૂર્યાસ્ત થતાંની સાથે જ વૃક્ષો અને છોડને સ્પર્શ કરવાથી બચવું જોઈએ. ખરેખર હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી-દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. લોકો તેની પૂજા પણ કરે છે. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી વૃક્ષો અને છોડનો આરામ કરવાનો સમય હોય છે. જો આપણે સાંજે અથવા રાત્રે તેમને સ્પર્શ કરીએ તો તેમના આરામમાં ખલેલ પહોંચે છે. વૃક્ષો અને છોડના આરામમાં ખલેલ પહોંચાડવાથી આપણે ભવિષ્યમાં ખરાબ પરિણામ ભોગવવા પડે છે. તેમને પરેશાન કરવાથી દેવી-દેવતાઓ ગુસ્સે થાય છે. જેની સજા આપણને ભવિષ્યમાં દુર્ભાગ્યના રૂપમાં મળે છે. તેથી, સૂર્યાસ્ત થયા પછી વૃક્ષો અને છોડને સ્પર્શ ન કરો.
સૂવું: શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી સૂવાની મનાઈ છે. સૂવા માટે માત્ર રાત્રિનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જો આપણે સૂર્યાસ્ત પછી સૂઈએ છીએ તો દુર્ભાગ્ય વધે છે. નસીબ આપણો સાથ છોડી દે છે. પછી આપણી સાથે એક પછી એક ખરાબ ઘટનાઓ બનવા લાગે છે. સાંજના સમયે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે. જો તે તમને ઘરમાં સૂતા જુવે છે તો તે ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. પછી ઘરમાં બરકત થતી નથી. ગરીબીનો ચેહરો જોવો પડે છે. ઘરમાં પૈસાની આવક અટકી જાય છે. તેથી સૂર્યાસ્ત થયા પછી સૂવું ન જોઈએ.
જાડૂ-પોછા લગાવવા: તમે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે સાંજ થતા પહેલા ઘરમાં જાડૂ-પોછા કરી લો. ખરેખર સૂર્યાસ્ત પછી જાડૂ-પોછા ન લગાવવા જોઈએ. તેને ધાર્મિક ગ્રંથોમાં અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં અશુભ ઘટનાઓ બની શકે છે. તેનાથી ઘરમાં બરકત પણ થતી નથી. ઘર સાફ કરવાનો યોગ્ય સમય સૂર્યાસ્ત પહેલાનો છે. તેનું એક કારણ એ પણ છે કે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. તેથી, તેમના આગમન પહેલાં ઘર સાફ કરી લેવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. આવું વાતાવરણ માતા લક્ષ્મીને પસંદ હોય છે. પછી તે લાંબા સમય સુધી આપણા ઘરમાં રહે છે. તેનાથી ઘરની બરકત વધે છે.